વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન સંલગ્ન વિધ્યા ભારતી ગુજરાત પ્રદેશ મહેસાણા વિભાગની બેઠકનું આયોજન માણસા ખાતે શ્રી મારુતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે કરાયું હતું. જેમાં 17 જેટલા વિદ્યાલયોના પ્રધાન આચાર્યો, ટ્રસ્ટી, વ્યવસ્થાપકોએ વિવિધ પાંચ સત્રોમાં ચિંતન મંથન કરી વિદ્યાલય માં સંખ્યાત્મક તેમજ ગુણાત્મક વધારો થાય તે હેતુ થી આગામી આયોજન કર્યું હતું. વિધ્યાભારતી ગુજરાત પ્રદેશ મહેસાણા વિભાગની કારોબારીમાં શ્રી મારુતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ ની 2024 થી 2027 એમ ત્રણ વર્ષ માટે કારોબારી સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી.


આ બેઠકમાં ટ્રસ્ટ પ્રમુખ બાબુભાઈ પટેલ, સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, મહેસાણા વિભાગના સમન્વયક બાબુભાઈ રથવી અધ્યક્ષ રાજુભાઈ જોશી, મહેસાણા વિભાગના મંત્રી કિરણભાઈ મકવાણા, વિદ્યા ગુજરાત પ્રાંતના મહામંત્રી નિલેશભાઈ પટેલ, વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ પરીક્ષા વિભાગના સંયોજક પ્રફુલભાઈ પટેલ હાજર રહ્યા હતા.