મોડાસા પાલિકા દ્વારા વન મહોત્સવ નિમિત્તે શહેરમાં મિશન વૃક્ષારોપણ અભિયાનહાથ ધર્યુ છે. જેના માટે જો તમારા ઘર, દુકાન કે સોસાયટી આગળ જો વૃક્ષારોપણ કરવું હોય તો QR code સ્કેન કરવાથી મોડાસા પાલિકાની ટીમવિનામૂલ્યે દિન-5માં વૃક્ષારોપણ કરી આપશે. શહેરને પ્રથમ તબક્કામાં હરિયાળુ અને સ્વચ્છ બનાવવામાટે 2,500 થી 3000 જુદા જુદા વૃક્ષો રોપવાનુંઆયોજન કર્યું છે. પાલિકા દ્વારા શહેરીજનોને QRcode સ્કેન કરીને પાંચ દિવસમાં રજિસ્ટ્રેશન ફોર્મભરવા અનુરોધ કર્યો છે. પાલિકા પ્રમુખ નિરજ શેઠેજણાવ્યું હતું શહેરીજનો વધુ માત્રામાં વૃક્ષો વાવીઅને તેનું જતન કરે તે માટે પાલિકા દ્વારા ક્યૂઆરકોડ સ્કેન કરીને રજિસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે પણ અપીલ કરી છે. તદુપરાંત વધુ સંપર્ક માટે પાલિકાએ ફોન નંબર 0274 46 209 પર સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો છે. મોડાસાના નાગરિકોને તેમની સોસાયટી, ઘર, સ્કૂલ કે દુકાન આગળ વૃક્ષવાવવા હોય તો તેમને QR Code Scan કરીને રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. નગરપાલિકાની ટીમ દ્વારા વિનામૂલ્યે દિન-5માં વૃક્ષ રોપણ કરી આપશે તેમ પાલિકા દ્વારા જણાવાયું છે.
