Monday, June 9, 2025
spot_img
HomeGujaratસોલૈયા ગામમાં ચૌધરી પરિવારે કરી પ્રેરણારૂપ કામગીરી

સોલૈયા ગામમાં ચૌધરી પરિવારે કરી પ્રેરણારૂપ કામગીરી

માણસા તાલુકામાં ચૌધરી સમાજના વ્યક્તિએ વૃક્ષારોપણને લઈ અન્ય લોકોને મોટી પ્રેરણા પૂરી પાડી છે. ચૌધરી સોમાબાઈ વેલાભાઈ બદાભાઈનું અવસાન થયું હતું. જે બાદ તેમના પરિવારે એક અનોખી પહેલ કરી છે. જેમાં 12મા દિવસે મૃતકના પરિવારે ગામ લોકોને વૃક્ષો આપ્યા હતા.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

સોલૈયા ગામ
Photo By Dhaval Darji (Press Solution)

200થી વધુ વૃક્ષોનું વિતરણ કરાયું હતું. ના ફક્ત વૃક્ષો પરંતુ તેના જતનની પણ જવાબદારી સોંપાઈ હતી. ગામમાં જ તમામ વૃક્ષોને વાવવામાં આવ્યા હતા. ખરેખર આજના સમયમાં વૃક્ષોનું મહત્વ સમજી ચૌધરી પરિવારે એક ઉત્તમ કામગીરી કરી હતી જેના ચારે બાજુ ભરપેટ વખાણ થઈ રહ્યા છે. અન્ય લોકો પણ આ પરિવાર પાસેથી વૃક્ષોનું મહત્વ સમજે તે જોવું રહ્યું.

By The Press Solution

હિંમતનગર ટાઉન હોલ ખાતે “મિસાવાસી”ના પરીવારજનનું ભાજપ દ્વારા સન્માન કરવામાં આવ્યું

માનસિક અસ્થિરતા ધરાવતા મહિલાની વહારે આવતું ગાંધીનગરનું સખી વન સ્ટોપ સેન્ટર

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x