માણસા તાલુકામાં ચૌધરી સમાજના વ્યક્તિએ વૃક્ષારોપણને લઈ અન્ય લોકોને મોટી પ્રેરણા પૂરી પાડી છે. ચૌધરી સોમાબાઈ વેલાભાઈ બદાભાઈનું અવસાન થયું હતું. જે બાદ તેમના પરિવારે એક અનોખી પહેલ કરી છે. જેમાં 12મા દિવસે મૃતકના પરિવારે ગામ લોકોને વૃક્ષો આપ્યા હતા.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

200થી વધુ વૃક્ષોનું વિતરણ કરાયું હતું. ના ફક્ત વૃક્ષો પરંતુ તેના જતનની પણ જવાબદારી સોંપાઈ હતી. ગામમાં જ તમામ વૃક્ષોને વાવવામાં આવ્યા હતા. ખરેખર આજના સમયમાં વૃક્ષોનું મહત્વ સમજી ચૌધરી પરિવારે એક ઉત્તમ કામગીરી કરી હતી જેના ચારે બાજુ ભરપેટ વખાણ થઈ રહ્યા છે. અન્ય લોકો પણ આ પરિવાર પાસેથી વૃક્ષોનું મહત્વ સમજે તે જોવું રહ્યું.
By The Press Solution
હિંમતનગર ટાઉન હોલ ખાતે “મિસાવાસી”ના પરીવારજનનું ભાજપ દ્વારા સન્માન કરવામાં આવ્યું
માનસિક અસ્થિરતા ધરાવતા મહિલાની વહારે આવતું ગાંધીનગરનું સખી વન સ્ટોપ સેન્ટર