Saturday, July 12, 2025
spot_img
HomeGujaratસપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું ભવ્ય આયોજન

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું ભવ્ય આયોજન

પાલનપુરમાં શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાવાનો છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના આ કેન્દ્ર સમા મેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી વહીવટદાર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, ભક્તોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ વ્યવસ્થાઓ, જેવી કે બસ સેવા, રોકાણ, ભોજન, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ, દર્શન વ્યવસ્થા અને સુરક્ષા-સલામતી પર વિશેષ ધ્યાન અપાશે. આ પ્લાનિંગ (planning) નો મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધાળુઓને સુચારુ અને સુરક્ષિત રીતે બાબાના દર્શન કરાવી શકે તે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x