વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો છે, જેના કારણે એક ટ્રક, બોલેરો અને બાઇક સહિત પાંચ વાહનો મહિસાગર નદી માં ખાબક્યા હોવાના અહેવાલ છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને પણ જોડે છે. ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે, જ્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ X પર વિડીયો શેર કર્યા હતા. બ્રિજ ધરાશાયી થવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામ (traffic jam) સર્જાયો છે, જેના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા અપીલ કરાઈ છે. 1985માં નિર્માણ પામેલો આ બ્રિજ જર્જરિત હોવા છતાં તેને બંધ કરાયો નહોતો, અને નવા બ્રિજ માટે સર્વે પણ થયો હતો, જે માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારી (negligence) સૂચવે છે.
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે.અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.@CMOGuj @dgpgujarat @Bhupendrapbjp @sanghaviharsh @CollectorAnd pic.twitter.com/Xn1vIB9QEs
— Amit Chavda (@AmitChavdaINC) July 9, 2025