યોગેશ શાહ, મોડાસા: અરવલ્લીના મોડાસા માલપુર રોડ પર આવેલી ધી રત્નદીપ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના ચેરમેન પદે વિપુલભાઈ ગાંધી (મંડપવાળા) અને સેક્રેટરી તરીકે વિનોદભાઈ ભાવસારની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ જાહેરાત સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં કરવામાં આવી હતી, જે સાઈ મંદિર હોલ ખાતે યોજાઈ હતી.

નવી કારોબારી અને સલાહકાર બોર્ડ
નિયુક્ત થયેલા કારોબારી સભ્યોમાં મંગેશભાઈ શેઠ, રાકેશકુમાર ઉપાધ્યાય, ભાવેશકુમાર પટેલ, નરેશભાઈ પારેખ, મહેન્દ્રભાઈ પટેલ, કલ્પેશ ભાવસાર, અને ડો. જ્યોતિ પ્રકાશ જોશીનો સમાવેશ થાય છે. સલાહકાર બોર્ડમાં કેતનકુમાર ત્રિવેદી અને હર્ષદભાઈ સોનીની નિયુક્તિ કરવામાં આવી છે.
નિવૃત્ત ચેરમેનનું સન્માન
સોસાયટીના નિવૃત્ત થતા ચેરમેન અને મોડાસા શહેર ભાજપના મહામંત્રી કેતનભાઈ જેત્રિવેદીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. તેમણે છેલ્લા સાત વર્ષથી સોસાયટીના વિકાસ કાર્યોમાં અવિરત અને કર્મનિષ્ઠ સેવાઓ આપી હતી, જેના પરિણામે સોસાયટીએ સારી પ્રગતિ કરી હતી. તેમની કામગીરીને સર્વે સભાસદોએ એકી અવાજે બિરદાવી હતી.