Sunday, June 8, 2025
spot_img
HomeGujaratગાંધીનગરમાં ગેરકાયદે કતલખાના સામે તંત્રની કાર્યવાહી, સર્વેનો આદેશ

ગાંધીનગરમાં ગેરકાયદે કતલખાના સામે તંત્રની કાર્યવાહી, સર્વેનો આદેશ

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાની ફરિયાદોને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ મોટો નિર્ણય લીધો છે. તેમણે જિલ્લાના તમામ ગામોમાં આવા ગેરકાયદે કતલખાનાનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અજીતસિંહ રાઠોડે આ અંગે લેખિત રજૂઆત કરી હતી. તેમણે જામળા ગામમાં મંદિર અને દેરાસર નજીક ચાલતા ગેરકાયદે કતલખાનાનો મુદ્દો ઉઠાવ્યો હતો,

જેનાથી આસપાસના ગામોમાં ભયનો માહોલ છે. અગાઉ જિલ્લા પંચાયતની સભામાં પણ આ વાત ઉઠી હતી. હવે ડીડીઓએ તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં તપાસ કરવા જણાવ્યું છે. સર્વે બાદ ગેરકાયદે પ્રવૃત્તિ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x