નવી દિલ્હી: પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખો – આર્મી, નૌકાદળ અને વાયુસેનાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેના પાકિસ્તાનની સરહદ પર ભારે ગોળીબાર અને બોફોર્સ તોપોથી વળતો જવાબ આપી રહી છે.

આ સાથે જ, ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ ઉડાન ભરી છે અને મિસાઇલો છોડી રહ્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ, ભારતીય નૌકાદળ પણ અરબી સમુદ્રમાં સક્રિય થઈ ગયું છે.
પાકિસ્તાનના હુમલાની તીવ્રતા અને તેનાથી થયેલા નુકસાન અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે, ભારતીય સેના દ્વારા આપવામાં આવેલો આ વળતો પ્રહાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની ભારતની મક્કમતા દર્શાવે છે.
સંરક્ષણ મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી શકે છે. દેશભરમાં નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.