Sunday, June 8, 2025
spot_img
HomeIndiaકોલકાતા હોટલમાં ભીષણ આગ લાગતાં 14 લોકોએ જીવ ગુમાવ્યો

કોલકાતા હોટલમાં ભીષણ આગ લાગતાં 14 લોકોએ જીવ ગુમાવ્યો

ગઈકાલે રાત્રે કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની હતી. બુર્રાબજાર વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટલમાં અચાનક આગ લાગી જતાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ જણાવ્યું કે રાત્રે આઠ વાગ્યાની આસપાસ આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ અને બચાવ ટીમે અત્યાર સુધીમાં 14 મૃતદેહો બહાર કાઢ્યા છે અને કેટલાક લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x