ધોરણ 7 ના એનસીઇઆરટીના નવા પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર કરાયો છે. મુઘલ સામ્રાજ્ય અને દિલ્હી સલ્તનતને લગતા પ્રકરણો હવે નથી. તેના બદલે ભારતીય રાજવંશો અને ‘મેક ઇન ઇન્ડિયા’, ‘બેટી બચાવ બેટી પઢાઓ’ જેવા વિષયો ઉમેરાયા છે. આ ફેરફાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને નેશનલ કરીકયુલમ ફ્રેમવર્ક (NCFSE) 2023 અનુસાર કરાયો છે. એનસીઇઆરટીએ જણાવ્યું કે આ પુસ્તકનો પહેલો ભાગ છે, બીજો ભાગ ટૂંક સમયમાં આવશે. જો કે, દૂર કરાયેલા પ્રકરણો બીજા ભાગમાં હશે કે નહીં તે સ્પષ્ટ નથી. નવા પુસ્તકોમાં મુઘલો કે દિલ્હી સલ્તનતનો કોઈ ઉલ્લેખ નથી.
