Sunday, June 8, 2025
spot_img
HomeIndiaજમ્મુ-કાશ્મીરમાં 175 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં 175 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાની સૈન્યએ સતત ત્રીજા દિવસે નિયંત્રણ રેખા (LoC) પર કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર ચાલુ રાખ્યો હતો. ભારતીય સેનાએ પણ તેનો જોરદાર જવાબ આપ્યો હતો. જો કે, આ ફાયરિંગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

બીજી તરફ, ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન સ્થળો પર વધુ એક આતંકવાદી હુમલાનું કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ એલર્ટને પગલે સુરક્ષા દળોએ કાર્યવાહી તેજ કરી છે. છેલ્લા બે દિવસમાં વધુ ચાર આતંકવાદીઓના ઘરો તોડી પાડવામાં આવ્યા છે, અને એકલા અનંતનાગ જિલ્લામાંથી જ 175 શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત, સુરક્ષા દળોએ ઉત્તરી કાશ્મીરના માછિલના જંગલોમાં એક આતંકવાદી છુપાવવાના સ્થળનો પર્દાફાશ કરીને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે, જેમાં પાંચ એકે-૪૭ રાઈફલ અને મોટી સંખ્યામાં કારતૂસનો સમાવેશ થાય છે. સુરક્ષા દળો જમ્મુ-કાશ્મીરમાં સક્રિય 14 આતંકવાદીઓની યાદી બનાવીને તેમને પકડવા માટે સઘન અભિયાન ચલાવી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x