ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 24મી એપ્રિલે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો સાંભળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજાય છે. આ કાર્યક્રમમાં નાગરિકો સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધી મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને પોતાની રજૂઆતો કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે અને તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે.
