Monday, June 9, 2025
spot_img
HomeGujaratગુજરાતના તીર્થસ્થળો માટે ટૂર સર્કિટ શરૂ કરવાની તૈયારીમાં ગુજરાત એસટી નિગમ

ગુજરાતના તીર્થસ્થળો માટે ટૂર સર્કિટ શરૂ કરવાની તૈયારીમાં ગુજરાત એસટી નિગમ

ગુજરાતના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી માગણીને ધ્યાનમાં રાખીને, ગુજરાત એસટી નિગમ હવે રાજ્યના ધાર્મિક સ્થળો માટે ટૂર સર્કિટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી, નિગમ આગામી દિવસોમાં વિવિધ રૂટ પર ટૂર પેકેજ શરૂ કરશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓને આરામદાયક અને સગવડભર્યા પ્રવાસનો અનુભવ કરાવવાનો છે.

નિગમ દ્વારા રાજ્યના વિવિધ ઝોનમાં એક રાત અને બે દિવસના ટૂર પેકેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રૂટ નક્કી થયા બાદ ભાડું નક્કી કરવામાં આવશે, જેમાં કુલ કિલોમીટર દીઠ ભાડું, હોટલ અથવા ધર્મશાળાનો ચાર્જ અને અન્ય ખર્ચાઓનો સમાવેશ થશે. આ ટૂર પેકેજની કિંમત 2,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીની હોવાની શક્યતા છે.

આ ટૂર દર સપ્તાહના અંતે, એટલે કે શનિવાર અને રવિવારે સંચાલિત થવાની શક્યતા છે, જેથી લોકો તેમના પરિવાર સાથે સહેલાઈથી યાત્રાનો આનંદ માણી શકે. સંભવિત ટૂરિસ્ટ સર્કિટમાં સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા, ગીર અને હરસિદ્ધિ માતા મંદિર, દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ઉનાઈ, તીથલ અને સેલવાસ, કચ્છમાં માતાનો મઢ, નારાયણ સરોવર અને કોટેશ્વર, અને ઉત્તર ગુજરાતમાં મહુડી, વડનગર, ઊંઝા, અંબાજી અને બહુચરાજીનો સમાવેશ થાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x