જંબુસર બીએપીએસ મંદિરના 22 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી પાટોત્સવમાં પૂજ્ય રાજેશ્વર સ્વામી,પૂજ્ય ડોક્ટર વિવેક નિષ્ઠ સ્વામી, પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય ક્ષમાસીલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. અને મહાપુજા દર્શન તથા પાટોત્સવની સભા યોજાઈ હતી. મંદિર એટલે શ્રદ્ધાનું કેન્દ્ર અને સંસ્કૃતિનો આધાર સ્તંભ, મનને સ્થિર કરે તે મંદિર હજારો વર્ષથી ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મનું રક્ષણ અને પોષણ મંદિર દ્વારા થાય છે. વિશ્વ વંદનીય બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે 22 વર્ષ પૂર્વે જંબુસર શહેરમાં આ મંદિર સમાજના ચરણે ધર્યું હતું.અને તેના પાટોત્સવ પૂજ્ય રાજેશ્વર સ્વામી ના સાનિધ્યમાં ભવ્ય ઉજવાયો હતો.
જેમાં પૂજય જ્ઞાનવીર સ્વામી,પૂજ્ય ડોક્ટર વિવેક નિષ્ઠ સ્વામી, પૂજ્ય ક્ષમાસીલ સ્વામી, ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં વૈદિક મહાપૂજા,અન્નકૂટ દર્શન જેનો હરિભક્તોએ લાભ લીધો હતો.તથા પાટોત્સવ સભા યોજાઇ હતી. સંતોએ આશિષ પાઠવતા જણાવ્યું હતું કે કોઈપણ ભગવાનની ભક્તિ પતિવ્રતા ની જેમ કરવી જોઈએ, તેમ કહી સનાતન ધર્મ અંગે સવિશેષ પ્રસંગો સહિત સમજાવ્યું તથા ગોપાળાનંદ સ્વામીના પ્રસંગ સાથે સર્વોપરીની વાત કરી હતી. બીએપીએસ દ્વારા ઉપાસનાના મંદિરો બનાવ્યા છે.આ પ્રગટનો સંપ્રદાય છે એ મોક્ષનો માર્ગ છે. નિશ્ચય પાકો કરવાનો છે તો જ પાટોત્સવની ઉજવણી કહી શકાય તે સહિત વચનામૃત ગ્રંથ ગઢડા મધ્ય 41 ની સવિસ્તાર સમજ આપી હિન્દુ ધર્મમાં મંદિર એ અગત્યનું સ્થાન છે.
મંદિર સેવા સમર્પણની યમુના છે,શ્રદ્ધા અને ભક્તિ સેવાનું પણ માધ્યમ છે. આપણા જીવનમાં શબ્દાર્થ નહીં લક્ષ્યાંક બનાવી મહારાજ સર્વોપરી છે તે દ્રઢ થવું જોઈએ.પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ એ આપણને સમજ આપી સત્સંગ દીક્ષા ગ્રંથની વાત કરી હતી અને આ ગ્રંથને બાળકોએ મુખપાઠ કરવાનો જે લક્ષ છે તેના કરતાં વધારે બાળકોએ મુખપાઠની નોંધણી કરી છે.આપણે પણ આ કરીશું તો બાપા નો રાજીપો મેળવી શકીશું ઉપાસના જ્ઞાન એ દ્રઢ થાય જીવન નિયમ ધર્મ યુક્ત થાય તે મહત્વનું છે. આપણા પરિવારમાં સત્સંગનો રંગ સતત ચઢતો રહે અને બાપા રાજી થાય તેવા આશિષ પાઠવ્યા હતા. આભાર દર્શન પૂજ્ય જ્ઞાનવીર્ સ્વામી દ્વારા કરાયું હતું.

અહેવાલ: ડી. એન. વાઘેલા, જંબુસર