દહેગામ લીંબચ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે શતાબ્દી મહોત્સવની દબદબાભેર ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ચોરાસી જૂથ લીંબચ માતાજી મંદિર ટ્રસ્ટ દહેગામ તથા વાળંદ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ આવતીકાલે એટ્લે કે, 3 અને 4 માર્ચ 2025ના રોજ યોજાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાળંદ સમાજના લોકોને શતાબ્દી મહોત્સવનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. દેશ-વિદેશમાં વસતા વાળંદ સમાજના લોકોમાં પણ માતાજીનાં આ પ્રસંગને લઈ અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવ દહેગામના ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ બની રહેશે.

આ શતાબ્દી મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા, પૂજા, મહાઆરતી, મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં વાળંદ સમાજના લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. આ શતાબ્દી મહોત્સવની ઉજવણીને લઈને શ્રી ચોરાસી જૂથ લીંબચ માતાજી મંદિર ટ્રસ્ટ દહેગામ તથા વાળંદ સમાજ દ્વારા શતાબ્દી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગામે ગામથી વાળંદ સમાજના બંધુઓ પોતાની સેવા અને આ મહોત્સવનો લાભ લેવા આવતીકાલે દહેગામ પહોંચશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક સ્વયંસેવકો રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.આ પ્રસંગે શ્રી ચોરાસી જૂથ લીંબચ માતાજી મંદિર ટ્રસ્ટ દહેગામના સભ્યોએ જણાવ્યું હતું કે, “આ શતાબ્દી મહોત્સવ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે વાળંદ સમાજના તમામ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપીએ છીએ.” આ શતાબ્દી મહોત્સવની ઉજવણીને લઈને વાળંદ સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે ચોરાસી જૂથ વાળંદ સમાજના બંધુઓ ધ્વારા યથાશક્તિ યોગદાન આપી માતાજીની સેવામાં સહભાગી થયા છે.