પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ બાદ આજે મેળાની બહાર બનેલા ટેન્ટ સિટીમાં ભીષણ આગ લાગી હતી. ઝુંસી છતનાગ ઘાટના નાગેશ્વર ઘાટ સેક્ટર 22 પાસે આગ લાગી હતી. આ ભીષણ આગમાં અનેક ટેન્ટ બળીને ખાક થઈ ગયા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
