Monday, June 9, 2025
spot_img
HomeIndiaભારત અને ચીન વચ્ચે ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા

ભારત અને ચીન વચ્ચે ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા

લદ્દાખમાં સૈન્ય તણાવ ઘટાડ્યા પછી ભારત અને ચીન તેમના દ્વિપક્ષીય સંબંધોને સુધારવાના ઉદ્દેશ્ય સાથે સતત વાતચીત કરી રહ્યા છે, જેના સકારાત્મક પરિણામો મળ્યા છે કારણ કે ભારત અને ચીને 2020 થી અટકેલી કૈલાશ માનસરોવર યાત્રા ફરી એકવાર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે મોટી જાહેરાત કરી કહ્યું છે કે, 2025ની ગરમીની સિઝનમાં ફરી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે. આ ઉપરાંત બંને દેશોમાં વહેતી નદીઓનો ડેટા પણ શેર કરવામાં આવશે અને નિષ્ણાંતો સાથે મુલાકાત પણ થશે. આ નિર્ણયને શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે ફરી એકવાર સીધી ફ્લાઈટ સેવા પુનઃસ્થાપિત કરવા માટે સમજૂતી થઈ છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે એક નિવેદન જારી કરીને બંને દેશો વચ્ચે લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x