Monday, June 9, 2025
spot_img
HomeGujaratજિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ગાંધીનગરમાં દબદબાભેર ઉજવણી

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ગાંધીનગરમાં દબદબાભેર ઉજવણી

ગાંધીનગર જિલ્લામાં રામકથા મેદાન ,સેક્ટર- 11 ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી બાદ મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી.ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ76મા પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે,આજના પાવન દિવસે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓને કોટિ-કોટિ નમન કરું છું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડો.બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર-નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ બધા નામી- અનામી શહીદોને હું ભાવપૂર્વક અંજલિ આપું છું.આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે.

પ્રજાસત્તાક દિનની ઉજવણીનો વિડિયો જોવા અહી ક્લિક કરો

આપણા દૂરંદેશી બંધારણ-નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરુપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સૌના વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે.દેશના રાજા અને મહારાજાએ પોતાના સર્વસ્વનું બલિદાન અખંડ ભારત માટે આપ્યું છે.તેમણે સરદાર પટેલ ને યાદ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ વર્તમાન ભારતના ઘડવૈયા અને લડવૈયા છે તેમને હું વંદન કરું છું, તેમની 150 મી જન્મ જયંતી આપણે ઉજવી રહ્યા છે,દેશ તેમના બલિદાન ભૂલી શકે તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સૌથી ઊંચી પ્રતિમા બનાવી છે. સરદાર સાહેબ કામો આવનાર વર્ષો સુધી યાદ રહેશે. સાથે જ બંધારણ અંગે જણાવતા ઉમેર્યું હતું કે, ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. બંધારણ થકી નાના માણસો પણ સપના પુરા કરી રહ્યા છે. ઉપરાંત કલમ 370 દૂર થયા બાદ જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. કાશ્મીરમાં પહેલાના દિવસો યાદ છે લાલ ચોકમાં પાકિસ્તના ધ્વજ લહેરાતા હતા. આજે ત્યાં ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. જેને ગર્વ ગણાવ્યું હતું.આજે કાશ્મીરમાં ખૂબ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. અનેક વિષયમાં મોટી ઉપલબ્ધ હાસલ કરી છે તથા 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. કિસાન સન્માન નિધિ યોજનામાં 6 હજાર કરોડ જેટલી રાશિ ખેડૂત ખાતામાં જમા કરવામાં આવી છે. 12 કરોડ જેટલા ઘરોમાં નલ સે જલ યોજના પહોચાડવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં દેશભક્તો હાજર રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x