શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ ના રસાયણશાસ્ત્ર ના દાનવીર, સમાજસેવી, દેવરાજ સમાજ રત્ન, ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમકેર અલવર, નારાયણ સેવા સંસ્થા રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ થી સન્માનિત અધ્યાપક પ્રો. ડૉ. મનોજભાઇ પી. ગોંગીવાલા એ પોતાનો 58મો જન્મદિને લાયન્સ ક્લબ દ્વારા ચાલતી ડી બી સંસ્થા માં ભણતી 37 દીકરી ને ગણવેશ સહાય કરી કેક કાપી ઉજવણી કરી. સંસ્થાના ટ્રસ્ટી ડૉ. ટી. બી. પટેલ સાહેબ તથા સ્ટાફ હાજર રહ્યાં હતા. ડૉ. મનોજે 32 લાખ બિસ્કીટસ્ પાર્લે જી રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર વિવિધ શાળા ઓમાં કાર્યક્રમો કરી જરૂરિયાત હોય તેવા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે ચૈત્રી નવરાત્રી 2023 થી કરી રહ્યા છે.
સર્વે નો સહ સ્નેહ આનંદમય આભાર.