સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 7 માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમત્તે આતશબાજી તેમજ બહેરામુંગા ના બાળકો ને નાસ્તા વિતરણ કાર્યક્રમ યોજાયો મોડાસા :- મોડાસા ખાતે સેવા ના ભાવ સાથે જોડાયેલું સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨ જાન્યુઆરી ૨૦૨૫ ને શુભ દિવસે ટ્રસ્ટ ના ૭ માં વર્ષ ના મંગલ પ્રવેશ નિમિત્તે બહેરામૂંગા ના બાળકો ને નાસ્તા વિતરણ તેમજ આતશબાજી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો આ કાર્યક્ર્મ માં બહેરામૂંગા શાળા ના ટ્રસ્ટી શ્રીઓ તેમજ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ હાજર રહી ને આ કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો ત્યાર બાદ તમામ ટ્રસ્ટી મંડળ દ્વારા દાતા શ્રી નો આભાર માનવા માં આવ્યો હતો
