Tuesday, June 10, 2025
spot_img
HomeIndiaબંધારણમાં વિશ્વાસ રાખતા બધા જ રાજકીય પક્ષોનું સ્વાગત કરીશુ : ખડગે

બંધારણમાં વિશ્વાસ રાખતા બધા જ રાજકીય પક્ષોનું સ્વાગત કરીશુ : ખડગે

Updated: Jun 6th, 2024

બંધારણમાં વિશ્વાસ રાખતા બધા જ રાજકીય પક્ષોનું સ્વાગત કરીશુ : ખડગે

– હાલમાં સરકાર રચવાનો કોઈ દાવો નહીં કરીએ

– 1962 પછી સળંગ ત્રીજી વખત એક જ પક્ષની સરકાર રચવાના પીએમના દાવાને લોકોએ લપડાક મારી : રમેશ

– 1989ની ચૂંટણીમાં કોંગ્રેસ 197 બેઠકો સાથે સૌથી મોટો રાજકીય પક્ષ હોવા છતાં રાજીવ ગાંધીએ સરકાર રચી ન હતી

નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ઇન્ડિયા જોડાણના ઘટક દળોની બેઠકમાં બુધવારે જણાવ્યું હતું કે બંધારણમાં અતૂટ વિશ્વાસ રાખતા બધા જ રાજકીય પક્ષોનું આ જોડાણમાં સ્વાગત છે. તેમણે જણાવ્યું હતં  કે ભાજપ શાસિત ન હોય તેવા રાજ્યો જો ઇન્ડિયા બ્લોકમાં જોડાવવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. તેમણે બ કલાકની બેઠક બાદ જણાવ્યું હતું કે વિપક્ષ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપના ફાસીવાદી શાસન સામે લડવાનું જારી રાખશે. તેમણે જંગી બેઠકો આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. 

સરકાર રચવાના દાવા અંગે ખડગેએ જણાવ્યું હતું કે અમે હાલમાં સરકાર રચવાનો કોઈ દાવો નહીં કરીએ.  અમે યોગ્ય સમયે યોગ્ય પગલાં લઈશું. અમે ભાજપ શાસિત ન હોય તેવા રાજ્યોના લોકોની મહત્ત્વાકાંક્ષાઓને તેમની ઇચ્છાઓ પર ધ્યાન આપીશું. 

કોંગ્રેસ પ્રમુખે યોજેલી બેઠકમાં ચૂંટણીના પરિણામો અને રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હતી. તેમા સરકાર રચવાની કોઈપણ પ્રકારની સંભાવના પણ ચકાસવામાં આવી હતી. જૂના સાથીદારો નીતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ  ફરીથી આ બ્લોકમાં આવી શકે કે કેમ તે પણ જોવામાં આવ્યું હતું. 

તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા બ્લોક પ્રજાએ તેમને આપેલા જનચુકાદા બદલ આભારી છે. લોકોએ ભાજપને બરોબરનો પદાર્થપાઠ ભણાવ્યો છે. ધિક્કાર, ભ્રષ્ટાચાર અને લોકોને વંચિત રાખનારાઓને બરોબરનો ફટકો માર્યો છે. 

તેમણે  ઉમેર્યું હતું કે આ જનચુકાદો ભારતના બંધારણના રક્ષણ માટે, ભાવવધારા સામે, બેરોજગારી સામે અને ક્રોની કેપિટલિઝમ સામે આપવામાં આવ્યો છે.  અહીં મહત્ત્વની વાત એ છે કે શાસક પક્ષ એનડીએ બ્લોક અને વિપક્ષ ઇન્ડિયા બ્લોકની બેઠક એકસાથે ચાલી રહી છે.

કોંગ્રેસે લોકસભા પરિણામોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેનો મોટો જનચુકાદો ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેઓ જનચુકાદામાં ભાંગતોડ કરવાનો ઇરાદો ધરાવે છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે જણાવ્યું હતું કે પીએમ છાતી કાઢીને કહેતા હતા કે ૧૯૬૨ પછી સળંગ ત્રણવાર કોઈએ સરકાર બનાવી નથી, પરંતુ હું બનાવીશ. નેહરુએ ૧૯૫૨માં ૩૬૪ બેઠક, ૧૯૫૭માં ૩૭૧ બેઠક અને ૧૯૬૨માં ૩૬૧ બેઠક સાથે સરકાર બનાવી હતી. જ્યારે અહીં તો ભાજપ પોતે ૨૪૦ બેઠક પર આવી ગયું છે અને બહુમતીનો આંકડો એકલા હાથે પાર કરી શક્યું નથી. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ૧૯૮૯માં કોગ્રેસને ૧૯૭ બેઠક હતી અને તે સૌથી મોટો પક્ષ હોવા છતાં રાજીવ ગાંધીએ સરકાર બનાવવાનો દાવો કર્યો ન હતો. 

રમેશે જણાવ્યું હતું કે આ જનાદેશ બતાવે છે કે લોકેએ પીએમ મોદીને નકાર્યા છે.

ઇન્ડિયા બ્લોક ઘટક દળ (કુલ બેઠક ૨૩૪)

પક્ષબેઠક
કોંગ્રેસ૯૯
એસપી૩૭
તૃણમૂલ કોંગ્રેસ૨૯
ડીએમકે૨૨
શિવસેના(ઉદ્ધવ)૦૯
એનસીપી(એસપી)૦૮
આરજેડી૦૪
સીપીએમ૦૪
આઇયુએમએલ૦૩
આપ૦૩
જેએમએમ૦૩
જેકેએનસી૦૨
વીસીકે૦૨
સીપીઆઇ૦૨
સીપીઆઇ (એમ)૦૨
કેસી૦૧
આરએલટીપી૦૧
બીએડીવીપી૦૧
એમડીએમકે૦૧
આરએસપી૦૧

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x